પરિચય




ચારણ (હિંદી: चारण) અથવા ગઢવી ભારતના રાજસ્થાન અને ગુજરાત રાજ્યોમાં આ વસવાટ કરતી એક જાતિ/જ્ઞાતિ છે. શ્રીમદ્ ભાગવતમ્ (સ્કંધ ૩, અધ્યાય ૧૦, શ્લોક ૨૮-૨૯) અનુસાર ચારણ જ્ઞાતિ, યક્ષ, ગંધર્વો, દેવો, અપ્સરા જેવા અન્ય દૈવી સ્વરૂપોની સાથે બનાવવામાં આવી હતી અને તેઓ સ્વર્ગમાં રહેતા હતા. આ જ્ઞાતિના સભ્યો તેમના ઉચ્ચ સાહિત્યીક રસ અને જ્ઞાન, સમાજ પ્રત્યે ઊંડી વફાદારી, હોંશીયારી અને યુદ્ધમાં શહાદત વહોરવા માટેની અડીખમ તૈયારી, વગેરે જેવા ગુણો માટે પ્રખ્યાત છે.







ગઢવીને ચારણ અને કવિરાજ સાથે જાગીરદાર અને ઠાકુર તરીકે ઓળખવામાં આવે છે. આ જ્ઞાતિના સભ્યો સમાજના એક મોટા વિભાગ દ્વારા દિવ્ય ગણવામાં આવે છે. જ્ઞાતિના મહિલા રજપૂત રાજાઓ સહિત આ વિસ્તારમાં અન્ય મુખ્ય સમુદાયો દ્વારા માતા દેવીઓ તરીકે પ્રેમપૂર્વક પૂજવામાં આવે છે. આ દેવીઓ કરણી માતાજી (રાજસ્થાન,દેશનોક), બહુચરા માતાજી, ખોડીયાર માતાજી, મોગલમાતાજી અને સોનલ માતાજી ચરણ મહા શક્તિ માતાઓ જાણીતા ઉદાહરણો છે. બધા મહાશક્તિ શબ્દ સાથે રજૂ થાય છે "આઈ મા" ઉદાહરણ તરીકે "આઈ શ્રી ખોડીયાર મા" "આઈ શ્રી સોનલ મા".




દરેક રાજાઓ તેમના રાજદરબરામા ચારણ (ગઢવી) રાખી રાજ પ્રત્યેની પ્રતિષ્ઠા અને ગૌરવ અનુભવતા હતા. તેઓ સારા કવિઓ અને સારા સૈનિકો હતા. રાજઓ તેમને અનેક ગામો આપતા અને રાજાઓ સામાન્ય રીતે હાથી, નાણાં, અને ઘરેણાં સમાવેશ કરી 100,000 રૂપિયા સમકક્ષ મોટી ભેટ આપતા હતા. રાજાઓ તેમને રાજદરબરામા એક સ્થળ ફાળવી આમંત્રિત કરતા. તત્કાલ કવિતાઓની રચના કરવા માટે તેમની ક્ષમતા કારણે, ચરણ જ્ઞાતિના સભ્યોની લોકપ્રિય રીતે કહેવતા શબ્દો "કવિઓ વચ્ચે રાજા" કે "કવીરાજ" છે. ચારણ હંમેશા સેનામાં હુમલાઓ કરવામાં આગળ રહેતા હતા.

No comments:

Post a Comment